ધોરાજીના મહાલક્ષ્મી ગરબી મંડળ અને બાપાસીતારામ ગ્રુપ દ્વારા ૭ મી બાપાસીતારામ મઢી ની સ્થાપના નિમિત્તે ધાર્મિક રીતે ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર (ધોરાજી) : કૌશલ સોલંકી 




ધોરાજીના મહાલક્ષ્મી ગરબી મંડળ અને બાપાસીતારામ ગ્રુપ દ્વારા ૭ મી બાપાસીતારામ મઢી ની સ્થાપના નિમિત્તે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમા બાપાસીતારામ ભુખ્યાને ભોજન આપતા ગરીબોની સેવા કરતા બીમારોની સેવા ચાકરી કરતા જેવા અનેક પરચા દેતા હોય જેવા ઉમદા કાર્યો કરતા બાપાસીતારામની મૂર્તિની ધોરાજીના મહાલક્ષ્મી ચોક ખાતે આજથી ૬ વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી હતી જેની આજે સાતમી સ્થાપના દિવસ નિમિત્તે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમા આખો દિવસ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. અને મહા આરતી બાદ ભજન-કિર્તન કર્યા હતા અને લોકોએ પ્રાર્થના કરી હતી. તથા બપોરે પ્રસાદી લહાવો ધોરાજીના ભક્તજનોએ લીધો હતો. બાપાસીતારામની ધોરાજી તથા બધા પર કૃપાદ્રષ્ટિ બની રહે તેવી લોકોએ પ્રાર્થના કરી હતી. આ તકે બાપાસીતારામ મઢી ની સ્થાપના દિવસ નિમિત્તે ધોરાજીના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment