ધોરાજીમાં 11-પોરબંદર લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ...

રિપોર્ટર (ધોરાજી) : કૌશલ સોલંકી 
રાજકોટના ધોરાજીમાં 11-પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.ભાજપના રાજ્યના સભ્ય શંભુનાથજી ટુંડીયા અને રાજકોટ જિલ્લા ભાજપના હોદેદારોની ઉપસ્થિતિમાં પોરબંદર લોકસભા બેઠકમાં સમાવેશ પામેલ ગોંડલ,જેતપુર,ધોરાજી,ઉપલેટા સહિતની વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.આ સેન્સ પ્રક્રિયામાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા,સહિતના ભાજપના રાજકોટ જિલ્લા,તાલુકાના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં ગોંડલમાંથી ધારાસભ્ય ગીતાબા જાડેજા,માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જયંતિભાઈ ઢોલ,જેતપુરમાંથી જયેશભાઈ રાદડીયા,મનસુખભાઈ ખાચરીયા,પ્રશાંત કોરાટ,ધોરાજીમાં ગોરધનભાઈ ધામેલીયા,હસમુખભાઈ ટોપલીયા તેમજ ઉપલેટામાં માજી ઑ  ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા ,નરશીભાઈ મુંગલપરા સહિતના અનેક લોકોએ પોતપોતાની ટિકીટની દાવેદારી કરી હતી.જેમાં મુખ્યત્વે લલિતભાઈ રાદડીયા,મનસુખભાઈ ખાચરીયા,જસુમતિબેન કોરા,ભરતભાઈ બોઘરા સહિતના લોકો પોરબંદર બેઠકના સંભવિત ઉમેદવાર હોવાની વિગતો જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.આ પોરબંદર લોકસભાની બેઠક ઉપર હાલમાં વર્તમાન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયા અને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના મોટાભાઈ લલિતભાઈ રાદડીયાનું મોખરે હોવાની વિગતો ભાજપના આગેવાનોએ વ્યક્ત કરી હતી...

બાઈટ જયેશભાઈ રાદડીયા મંત્રી રાજ્ય સરકાર.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment