રિપોર્ટર (ભાવનગર) : અર્ષદ દસાડિયા
ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબે જેલમાંથી ફરાર થયેલ કેદીઓ તથા નાસ્તા ફરતા આરોપીઓ ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી આર.આર.સેલના સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે બોરતળાવ પોલીસ ઇ.પી.કો. કલમ ૩૦૬ વિ. મુજબના ગુન્હાના કામે કેદી નાસીરભાઇ ઉર્ફે ભુરો સલીમભાઇ પઠાણ ઉ.વ.૩૨ રહેવાસી-કુંભારવાડા, મોતીતળાવ શેરીનં-૬, બોરડીવાળી શેરીવાળો ખાંચો ભાવનગર વાળો કેદી નંબર ૪૪૭૦૧ થી કેદની સજા રાજકોટ મધ્યસ્થ જેલમાં ભોગવી રહેલ હતો અને નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ નંબર-૮૭/૨૦૧૮ તારીખ ૨૧/૦૧/૨૦૧૯ થી પ્રથમ દિન-૧૦ ના બાદમાં તારીખ ૧૧/૦૨/૨૦૧૯ ના હુકમથી ૨ વીક (૨ અઠવાડીયા) ના વચગાણાના જામીન ઉપર છુટેલ અને બાદ પરત જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે જેલમાં હાજર થયેલ નહી નાસી છુટેલ હતો જેને આજરોજ તેના ઘર પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પોલીસ જાપ્તા સાથે મોકલી આપવા તજવીજ કરેલ છે. આ કામગીરીમાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારની સુચનાથી હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા જોડાયા હતા.
0 Comments:
Post a Comment