રિપોર્ટર(ક્ચ્છ): ધનસુખ ઠક્કર સાથે બિમલ માંકડ
"આઈનોક્ષ કંપનીની તંત્રને ચેલેન્જ..? અથવા તો તંત્રને વિટામિન "એમ"ની ઉણપ પુરી કરી અને ભ્રષ્ટ અમલદારોનાં પાંચેય આંગળા ઘી માં હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે સાબિત"
કચ્છ જીલ્લાનાં લખપત તાલુકામાં ખનીજ ચોરી બાબતે ત્રણ વખત દંડાઈ ચુકેલી આઈનોક્ષ કંપની ની તંત્ર સામે દાદાગીરી યથાવત છે અને હાલમાં પણ ખનીજ ચોરી તંત્રની કોઈપણ રોકટોક કે ભય વિના આ કૌભાંડ આચરાઈ રહ્યો છે આ કંપની લખપત તાલુકાનાં મેઘપર નજીક પવનચક્કીનું કામ કરતી અને ખનીજ ચોરીમાં માહિર છે તેવી માહિતી રતનસિંહ રાઠોડ રહે.અમિયા તાલુકો લખપત વાળાએ વિગતો આપીને અભિવ્યક્તિ ન્યૂઝને જણાવ્યું હતું વધુમાં કહ્યું હતું કે અમારી ફરિયાદના આધારે ગત તા.૩-૫ નાં રોજ ખાણ ખનીજ વિભાગ દ્વારા ગૂગલ ઇમેજ તૈયાર કર્યું હતું અને તપાસ કરતાં આઈનોક્ષ વિન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ કેર ઓફ મનોહરસિંહ એન્ડ
કંપની દ્વારા ઝુણાચાય ખાતે આવેલી ખારી નદીમાંથી ૧૪૬૮.૪૩ મેટ્રીક ટન અને વાલકા ખાતેની નદીમાંથી ૯૩૫૫.૫૫ મેંટ્રીક ટન સાદી રેતીનો ગેરકાયદે સંગ્રહ કરાયો હોવાનું જણાયું છે પ્રતિ ૧૦૮૨૪ મેટ્રીક ટન રેતીના સંગ્રહ બદલ આધાર-પુરાવા રજુ કરવા કંપનીને અપાયેલ મહેતલ બાદ પણ ખુલાસો ન કરી શકાતા રૂ. ૩૯.૫૧.૦૩૭ નો દંડ ભરવા નોટીસ ફટકારી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ કંપનીને ખનિજ ચારી બદલ ૬૦ લાખ તેમજ ૧૫ લાખના દંડની નોટીસ ફ્ટકારાઈ ચુકી છે તેમ છતાં પણ બિનદાસ્ત ખનીજ ચોરી કરી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે તંત્ર શું માત્ર દંડ ફટકારીને લોકોને ખુશ કરીદે છે કે ફટકારેલાં દંડની વસુલાત પણ કરે છે..? તેવા પ્રશ્નો લોકોમાં ઉઠવા પામ્યાં છે અન્યથા ત્રણ -ત્રણ વખત ખનીજ ચોરીમાં આ કંપનીને લાખોનો દંડ કરવામાં આવ્યો હોય તેમ છતાં "હમ નહીં સુધરેંગે"નો તંત્રને જવાબ ઘણું બધું કહી જાય છે આટલી ફરિયાદો દંડની કાર્યવાહી તેમ છતાં ખુલ્લી દાદાગીરી બતાવતી આ આઈનોક્ષ કંપની કાંતો સરકારને ચેલેન્જ કરી રહી છે અથવા તો તંત્રને વિટામિન "એમ"ની ઉણપ પુરી કરી અને ભ્રષ્ટ અમલદારોનાં પાંચેય આંગળા ઘી માં હોવાનું સ્પષ્ટ પણે સાબિત કરી રહીછે તંત્ર આંખ આડા કાન કરવાનું બંધ કરી આવી ખનીજ ચોરી કરનાર આઈનોક્ષ કંપની સામે "રૂક જાવ"સહિતની કાર્યવાહી કરવી જોઈએ અન્યથા આને જોઈ આ વિસ્તારમાં અન્ય ખનિજચોરો પણ તંત્રના ખોપ વિના ખનીજ ચોરી કરતાં થઈ જશે અને સરકારની તિજોરીને કરોડોનો ચુનો લગાવશે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરીને કડક હાથે કામગીરી કરવી જોઈએ તેવું રતનસિંહ રાઠોડ દ્વારા માંગ કરવામાં આવી છે.
"આઈનોક્ષ કંપનીની તંત્રને ચેલેન્જ..? અથવા તો તંત્રને વિટામિન "એમ"ની ઉણપ પુરી કરી અને ભ્રષ્ટ અમલદારોનાં પાંચેય આંગળા ઘી માં હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે સાબિત"
કચ્છ જીલ્લાનાં લખપત તાલુકામાં ખનીજ ચોરી બાબતે ત્રણ વખત દંડાઈ ચુકેલી આઈનોક્ષ કંપની ની તંત્ર સામે દાદાગીરી યથાવત છે અને હાલમાં પણ ખનીજ ચોરી તંત્રની કોઈપણ રોકટોક કે ભય વિના આ કૌભાંડ આચરાઈ રહ્યો છે આ કંપની લખપત તાલુકાનાં મેઘપર નજીક પવનચક્કીનું કામ કરતી અને ખનીજ ચોરીમાં માહિર છે તેવી માહિતી રતનસિંહ રાઠોડ રહે.અમિયા તાલુકો લખપત વાળાએ વિગતો આપીને અભિવ્યક્તિ ન્યૂઝને જણાવ્યું હતું વધુમાં કહ્યું હતું કે અમારી ફરિયાદના આધારે ગત તા.૩-૫ નાં રોજ ખાણ ખનીજ વિભાગ દ્વારા ગૂગલ ઇમેજ તૈયાર કર્યું હતું અને તપાસ કરતાં આઈનોક્ષ વિન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ કેર ઓફ મનોહરસિંહ એન્ડ
કંપની દ્વારા ઝુણાચાય ખાતે આવેલી ખારી નદીમાંથી ૧૪૬૮.૪૩ મેટ્રીક ટન અને વાલકા ખાતેની નદીમાંથી ૯૩૫૫.૫૫ મેંટ્રીક ટન સાદી રેતીનો ગેરકાયદે સંગ્રહ કરાયો હોવાનું જણાયું છે પ્રતિ ૧૦૮૨૪ મેટ્રીક ટન રેતીના સંગ્રહ બદલ આધાર-પુરાવા રજુ કરવા કંપનીને અપાયેલ મહેતલ બાદ પણ ખુલાસો ન કરી શકાતા રૂ. ૩૯.૫૧.૦૩૭ નો દંડ ભરવા નોટીસ ફટકારી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ કંપનીને ખનિજ ચારી બદલ ૬૦ લાખ તેમજ ૧૫ લાખના દંડની નોટીસ ફ્ટકારાઈ ચુકી છે તેમ છતાં પણ બિનદાસ્ત ખનીજ ચોરી કરી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે તંત્ર શું માત્ર દંડ ફટકારીને લોકોને ખુશ કરીદે છે કે ફટકારેલાં દંડની વસુલાત પણ કરે છે..? તેવા પ્રશ્નો લોકોમાં ઉઠવા પામ્યાં છે અન્યથા ત્રણ -ત્રણ વખત ખનીજ ચોરીમાં આ કંપનીને લાખોનો દંડ કરવામાં આવ્યો હોય તેમ છતાં "હમ નહીં સુધરેંગે"નો તંત્રને જવાબ ઘણું બધું કહી જાય છે આટલી ફરિયાદો દંડની કાર્યવાહી તેમ છતાં ખુલ્લી દાદાગીરી બતાવતી આ આઈનોક્ષ કંપની કાંતો સરકારને ચેલેન્જ કરી રહી છે અથવા તો તંત્રને વિટામિન "એમ"ની ઉણપ પુરી કરી અને ભ્રષ્ટ અમલદારોનાં પાંચેય આંગળા ઘી માં હોવાનું સ્પષ્ટ પણે સાબિત કરી રહીછે તંત્ર આંખ આડા કાન કરવાનું બંધ કરી આવી ખનીજ ચોરી કરનાર આઈનોક્ષ કંપની સામે "રૂક જાવ"સહિતની કાર્યવાહી કરવી જોઈએ અન્યથા આને જોઈ આ વિસ્તારમાં અન્ય ખનિજચોરો પણ તંત્રના ખોપ વિના ખનીજ ચોરી કરતાં થઈ જશે અને સરકારની તિજોરીને કરોડોનો ચુનો લગાવશે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરીને કડક હાથે કામગીરી કરવી જોઈએ તેવું રતનસિંહ રાઠોડ દ્વારા માંગ કરવામાં આવી છે.
0 Comments:
Post a Comment