રીપોર્ટર (અમરેલી):- પ્રતાપ વાળા સાથે અશોક મણવર
અમરેલી જીલ્લા ના ચલાલા ખાતે વિશ્વ માં પ્રસિદ્ધ છે. દાન મહારાજે ચલાલા માં ધર્મ ની ધજા ફરકાવી આ ધરતી ને પાવન કરી . દુખિયાના દુઃખ દૂર કરી સુખ આપ્યું ભુખ્યાને જમાડીને, રોગીષ્ટો ને રોગ માટાડીને સુખી કર્યા .દાન બાપુએ ચલાલા માં ગંગાજી અવતરણ કરીને આર્શીવાદ આપ્યા. આપાગીગા. વિસામણભગત, મૂળીમાં, માયા તળાવીયા, મેપા ભગત, ભોળીઆઈ.જેવા પ્રતાપી તેમના શિષ્યો રહ્યા. દેશ- વિદેશ માં બધા શ્રદ્ધા થી માથું નમાવે એવું સ્થાન એટલે દાનમહારાજ ની જગ્યા ચલાલા
વર્તમાન મહંત મહારાજ પૂ.વલકુબાપુ ના દીકરા અને લઘુ મહંતશ્રી મહાવીરબાપુના સુપુત્ર ચી. શ્રી પ્રયાગલાલજી ના લગ્ન પ્રસંગ ચલાલા ની જનતા અને સાથો સાથ આજુ બાજુના પરગણામાં માં ઉત્સવ જોવા મળી રહ્યો છે.આપણે બધા ધન્ય છીએ કે આપણા બાલલાલજી ના લગ્ન પ્રસંગ ના સહભાગી થવાનો મોકો મળ્યો છે. ચલાલા ની જનતા ઉપર દાનમહારાજ ના અપાર આશીર્વાદ છે. આપણા બધાની ફરજ છે ધર્મ ની પરંપરા મુજબ આ પ્રસંગ ને ઉત્સવ સમજી ઉજવવામાં આવેલ..
0 Comments:
Post a Comment