ભજન અને ભોજન ની અવિરત ધારા સાથે ભચાઉ અંબેધામ ખાતે નવમા પાટોત્સવ ની ભવ્ય ઉજવણી

રીપોર્ટર (કચ્છ):- ધનસુખ ઠક્કર સાથે ઘનશ્યામ બારોટ 
પરમ પુજ્ય બ્રહ્મલીન કરૂણાશંકર બાપાની પ્રેરણા અને આર્શીવાદ સાથે આધશકતિ માં અંબેની અસીમક્રુપાથી અંબેધામ મંદિર મધ્યે નવમા પાટોત્સવની હોમ હવન અને મહાપ્રસાદ સાથે હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.
   પાટોત્સવ ની પુર્વ સંધ્યાએ આધ્યશકતિ ધુનમંડળ ભચાઉ સોની સમાજના ભાઈઓ દ્વારા ધુન અને કિર્તન કરવામાં આવ્યા હતા, સંતો મહંતો અને પુજનીય દેવીમાઓ ની હાજરીમાં યજ્ઞ ના શાસ્ત્રી પદે રહેલા ભાગવતાચાર્ય પરમ પુજ્ય શ્રી દીનેશભાઈ રાવલે આ તકે જણાવ્યું હતું કે, અંબેધામનો આ નવમો પાટોત્સવ છે, માં અંબે ની અસીમક્રુપાથી આ સોસાયટી ખુબ ડેવલોપ થઈ છે,  આજથી નવ વર્ષ પહેલાં અહી આટલો વિકાસ નોતો પણ માંની દયાથી આજે આ વિસ્તાર જોઈને રાજી થાઈએ એવો બની ગયો છે, માંના મંદિર સાથે અનક્ષેત્ર ના નિર્માણ થી અહી સાધુ સંતો અને માઈ ભક્તોને રોટલો મળી રહે છે, મંદિર ના સ્થાપક અધ્યક્ષ અને ક્રમકાંડ બ્રાહ્મણ મંડણ ના પુર્વ પ્રમુખ અને પૂર્વ કરછ જીલ્લા વિશ્ચ હિન્દુ પરિષદ ના પ્રમુખ શાસ્ત્રીજી શ્રી અવિનાશભાઈ જોષી ભાગવતાચાર્ય સાથે સાથે ખુબ વિદ્વાન છે, અને તેઓ આ સનાતન વૈદિક ધર્મ ને સમર્પિત થઈ જે કાર્ય કરે છે તે સરાહનીય છે એવુ જણાવવા સાથે, આ પ્રસંગે ચાલી રહેલા યજ્ઞ બાબતે સમજ આપતાં જણાવ્યું હતું કે, તમે જે જે કામનાઓ કરો તે યજ્ઞ દ્વારા પુર્ણ થઈ જાય છે, જે શાસ્ત્રો દ્વારા સીધ્ધ થયેલ છે, જેમકે પ્રભુ શ્રી રામનો જન્મ પણ યજ્ઞ નીજ ક્રુપા હતી, આવા અનેક દ્રષ્ટાંતો સાથે, ધારાશાસ્ત્રી (એડવોકેટ) અને ભાગવતાચાર્ય શાસ્ત્રીજી શ્રી દીનેશભાઈ રાવલે જણાવ્યું હતું.

         અંબેધામ ના સ્થાપક અધ્યક્ષ શાસ્ત્રીજી શ્રી અવિનાશભાઈ જોષીએ આ નવમા પાટોત્સવ ના પવિત્ર દિવસે સમગ્ર હિન્દુ સમાજની શ્રધ્ધાા  ના સ્ત્રોત સમા અંબેધામ ના નવમા પાટોત્સવ ની ઉજવણીમાં માઈભકતો એ જે યોગદાન આપ્યું છે એ તમામ ને યાદ કરવા સાથે, મહાપ્રસાદ ના દાતા પડાણા નીવાસી સ્વ. નારણભાઈ જેસંગ ભાઈ હુંબલ પરિવાર ના મોભી અને પડાણા ગામ ના સરપંચ શ્રી ધનજીભાઈ નારણભાઈ હુબંલ રહ્યા હોવાનુ જણાવવા સાથે, નંદ એન્ટરપ્રાઈઝ અને નંદન એન્ટરપ્રાઈઝ સાથે રતનાલ ના રણછોડભાઈ છાંગા, અને નામી અનામી દાતાઓ ના સહકાર ને ઉલ્લેખનીય ગણાવ્યો હતો, આ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે સંતો મહંતો, કથાકારો, કલાકારો, અને પત્રકારો એ હાજર રહી મા અંબેના દ્વારે શુભ આશિષ ની કામના કરી હતી.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment