અમરેલી જીલ્લા ના બગસરામાં ડાયમંડ એસોસિયેશન દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યુ

ચીફ બ્યુરો (અમરેલી) :- અશોક મણવર 
બગસરામાં ડાયમંડ એસોસિયેશન દ્વારા વિવિધ માગણીઓને લયને મામલતદારને આવેદનપત્ર પાઠવીને છે ત્યારે હાલ ગુજરાતમાં એક લાખથી પણ વધુ રત્ન કારીગરો બેરોજગાર બન્યા છે ત્યારે નોટ બંધી તેમજ જી.એસ.ટી.પછી ડોલર સામે રૂપિયોનું ધોવાણ થતાં તેની સિધ્ધી અસર હિરા ઉદ્યોગ પર થયેલ... અમરેલી જીલ્લા ના બગસરામાં ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ પ્રવિણભાઇ મણવરના માર્ગ દર્શન હેઠળ બગસરા મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે.હાલ ગુજરાતમાં એક લાખથી પણ વધુ રત્ન કારીગરો બેરોજગાર બન્યા છે ત્યારે નોટ બંધી તેમજ જી.એસ.ટી. પછી ડોલર સામે રૂપિયોનું ધોવાણ થતાં તેની સિધ્ધી અસર હિરા ઉદ્યોગ પર થયેલ હોય જે અન્વયે બગસરા તાલુકાના રત્ન કારીગરો દ્વારા તેમની 14 જેટલી વિવિધ માગણીઓને લયને આવેદનપત્ર આપીને માગણીઓ કરીને ગુજરાત મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરીને આવેદનપત્ર આપેલ ..... તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ જો તારીખ ૧૫~૫~૨૦૧૯ સુધીમા જાહેર કરેલ વેકેશન પરત નહી ખેંચવામાં આવે તો અમે અ સોકસ મુદત માટે કલેકટર કચેરી ખાતે ધરણા ઉપર બેસવાની ફરજ પડશે તેમજ આ અંગે સુરત. રાજકોટ કલેક્ટરશ્રીને રુબરુ મળીને મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપેલ હોવાનું એસોસિયેશનના પ્રમુખે જણાવેલ...

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment