રિપોર્ટર (રાજુલા):- વિપુલ વાઘેલા
રાજુલા જાફરાબાદ પંથકમાં આશરે એક લાખ ઉપરાંત આંબાનું ખેડૂતો વર્ષોથી વાવેતર કરે છે. પરંતુ આ વર્ષે સ્થિતિ ભયાનક ઉભી થઇ છે. રાજુલા તાલુકાના વડ, ઉચૈયા, ધારાનાનેસ, હિડોરણા, જાફરાબાદ તાલુકાના નાગેશ્રી, ચૌત્રા વિસ્તારમાં આંબાના બગીચા આવેલા છે. અહીં મોટા પ્રમાણમા કેરીનો પાક નિષ્ફળ ગયો છે. સૌથી વધારે વડ, ધારાનાનેસ, ઉચૈયામા આંબાનુ વાવેતર ખેડૂતો મોટા પ્રમાણમાં કરે છે. અને ગુજરાત સૌરાષ્ટ્ર સહિત અહીંથી કેરીઓ જાય છે. પરંતુ અહીંના સ્થાનિક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સિંચાઇના સ્ત્રોત ખાલી થયા છે. અને પાણીનો સૌથી મોટો ગંભીર પ્રશ્ન હોવાને કારણે અને આ વર્ષે કુદરતી વાતાવરણમાં ફેરફારના કારણે રોગ જેવું વાતાવરણ થવાથી કેરીઓ આવે છે અને સીધી નીચે ખરી જાય છે. તો કેટલીક જગ્યાએ આંબામાં મોર આવતાની સાથે જ સુકાઇ જાય છે. જેના કારણે મોટાભાગે પાક નિષ્ફળ જવાના કારણે આ પંથકના ખેડૂતોને મોટુ આર્થિક નુકશાન વેઠવુ પડી રહ્યું છે.
રાજુલા જાફરાબાદ પંથકમાં આશરે એક લાખ ઉપરાંત આંબાનું ખેડૂતો વર્ષોથી વાવેતર કરે છે. પરંતુ આ વર્ષે સ્થિતિ ભયાનક ઉભી થઇ છે. રાજુલા તાલુકાના વડ, ઉચૈયા, ધારાનાનેસ, હિડોરણા, જાફરાબાદ તાલુકાના નાગેશ્રી, ચૌત્રા વિસ્તારમાં આંબાના બગીચા આવેલા છે. અહીં મોટા પ્રમાણમા કેરીનો પાક નિષ્ફળ ગયો છે. સૌથી વધારે વડ, ધારાનાનેસ, ઉચૈયામા આંબાનુ વાવેતર ખેડૂતો મોટા પ્રમાણમાં કરે છે. અને ગુજરાત સૌરાષ્ટ્ર સહિત અહીંથી કેરીઓ જાય છે. પરંતુ અહીંના સ્થાનિક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સિંચાઇના સ્ત્રોત ખાલી થયા છે. અને પાણીનો સૌથી મોટો ગંભીર પ્રશ્ન હોવાને કારણે અને આ વર્ષે કુદરતી વાતાવરણમાં ફેરફારના કારણે રોગ જેવું વાતાવરણ થવાથી કેરીઓ આવે છે અને સીધી નીચે ખરી જાય છે. તો કેટલીક જગ્યાએ આંબામાં મોર આવતાની સાથે જ સુકાઇ જાય છે. જેના કારણે મોટાભાગે પાક નિષ્ફળ જવાના કારણે આ પંથકના ખેડૂતોને મોટુ આર્થિક નુકશાન વેઠવુ પડી રહ્યું છે.
0 Comments:
Post a Comment