લાઠી પાસેના હીરાણા ગામે ખેડૂતે પાક નિષ્ફળ ગયેલ હોય અને ખેડૂત આર્થિક સકડામણથી ઝેરી દવા પી આત્મહત્યા કરી

રિપોર્ટર (અમરેલી) : નટવરલાલ ભાટીયા સાથે અશોક મણવર
                             અમરેલી જીલ્લા ના લાઠી તાલુકાના હીરાણા ગામે ખેડૂત પાક નિષ્ફળ ગયેલ હોય અને આર્થિક સકડા મણથી ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગયેલ તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ લાઠી તાલુકાના નાના એવા હીરાણા ગામે ૪૨ વર્ષીય ખેડૂત મહેશભાઈ પરશોતમભાઈ કાનાણીએ પાક નિષ્ફળ જવા થી આર્થિક સકડામણ  થી ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા નાના એવા ગામે ગમગીની વ્યાપી ગઈ ગયેલ છે ત્યારે હાલ મૃતક ને પી એમ માટે લાઠી સિવિલ ખાતે લવાતા શોકમગ્ન ખેડૂતો લાઠી સિવિલ દોડી ગયેલ છે ત્યારે હાલ  મૃતક મહેશભાઈ કાનાણી ખેડૂતના બંને સગીર દીકરા એ પિતા ની છત્રછાયા ગુમાવતા ભારે અરેરાટી વ્યાપી ગયેલ અને સરકારીશ્રી દ્વારા આવા આત્મહત્યાના થતાં બનાવો અટકાવે તેવી ખેડૂતો ની માગણી કરેલ હોવાનું જાણવા મળેલ..

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment