*રાજકીય લોબીમાં હડકંપ મચાવનાર જયંતી ભાનુશાલી હત્યા કેસના મુખ્ય આરોપી છબીલ પટેલ ૨૪ કલાક માં પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારશે..?*

રિપોર્ટર (કચ્છ) : બિમલ માંકડ સાથે ધનસુખ ઠક્કર
                                                          કચ્છ સહિત સમગ્ર રાજકીય લોબીમાં હડકંપ મચીજવા પામ્યો હતો તે કિસ્સો ગત તા.૭મી જાન્યુઆરીની રાત્રે સયાજીનગરી એક્સપ્રેસના એસી કોચમાં સફર કરી રહેલા ભાજપ નાં કચ્છના કદાવર નેતા અને અબડાસા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને સ્ટીલ ઓથોરિટી નિગમના ડાયરેક્ટર એવા જયંતી ભાનુશાલીની ચાલુ ટ્રેને ભાડૂતી શાર્પ સૂટરો દ્વારા કરપીણ હત્યા નિપજાવી હતી જે હત્યા પાછળના મુખ્ય સૂત્રધાર એવા અબડાસાના પૂર્વ  ધારાસભ્ય છબીલ નારણ પટેલ ટૂંક સમયમાં પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારશે તેવું વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે ત્યારે હાલ સુધીમાં કુલ ૬ જેટલા આરોપીઓની ઘરપકડ કરી લેવાઈ છે ત્યારે છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની અમદાવાદથી ધરપકડ થઈ ગયા બાદ પોતાની ઘરપકડને બચાવવા માટે અનેક જગ્યાએ ફાંફાં મારતાં અને છેવટે ક્યાંય આશરો ન દેખાતાં આખરે છબીલ પટેલને પોલીસની શરણે આવવુ જ પડશે તેવુ સ્વીકાર કરી ટુંક સમયમાં છબીલ પટેલ શરણાગતિ સ્વીકારશે તેવું વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે ત્યારે શું ખરેખર ૨૪ કલાકમાં છબીલ પટેલ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારશે..? તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment