રિપોર્ટર (સુરત) : અનિલભાઈ સેવક
આવતીકાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. જોકે, સુરતની રાંદેરની પ્રભાત તારા હિન્દી વિદ્યાલયના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી નથી. જેથી આજે વિદ્યાર્થીઓ ડીઈઓ કચેરી પહોંચ્યા હતા. અને ધરણા પર બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતા.
આવતીકાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. જોકે, સુરતની રાંદેરની પ્રભાત તારા હિન્દી વિદ્યાલયના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી નથી. જેથી આજે વિદ્યાર્થીઓ ડીઈઓ કચેરી પહોંચ્યા હતા. અને ધરણા પર બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતા.
54 વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા નહીં આપી શકે
રાંદેરની પ્રભાત તારા હિન્દી વિદ્યાલયના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી નથી આ મામલે પરીક્ષાના એક દિવસ અગાઉ શિક્ષણ બોર્ડના ચેરમેને જણાવ્યું કે 54 વિદ્યાર્થીઓ આવતી કાલે યોજાનારી બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં.
સ્કૂલની માન્યતા રદ્દ થઈ છતા પ્રવેશ આપ્યો
1.રાંદેરના તાડવાડી વિસ્તારમાં આવેલી પ્રભાત તારા હિન્દી વિદ્યાલયની માન્યતા રદ્દ કરવામાં આવી હોવા છતાં શાળાના સંચાલકો અને પ્રિન્સિપાલે આર્થિક લાભ અને મોભા માટે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી છેતરપિંડી કરી હતી. જેની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીએ મા દુર્ગા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ, સેક્રેટરી અને સ્કૂલના પ્રિન્સિપાલ સામે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
54 વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ
2.આ શાળાની માન્યતા રદ્દ થઈ અને સંચાલકો-પ્રિન્સિપાલ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો તે કિસ્સામાં ધો. 10 અને 12ના 54 વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ થઈ ગયું છે. આવતીકાલે પરીક્ષા શરૂ થતી હોવા છતાં પણ હજું હોલ ટિકિટ મળી નથી. જેથી આજે વિદ્યાર્થીઓ ડીઈઓ કચેરી પહોંચ્યા હતા. અને હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ ડીઈઓ કચેરી પર જ ધરણા પર બેસી ગયા હતા.
0 Comments:
Post a Comment