રાજુલામા સાવરકુંડલા રોડ પર ગામની બહાર નીકળતા જ આ ભયંકર બદબુ મારતુ સ્થળ

રીપોર્ટર (રાજુલા): વિપુલ વાઘેલા 
રાજુલામા સાવરકુંડલા રોડ પર ગામની બહાર નીકળતા જ આ ભયંકર બદબુ મારતુ સ્થળ આવેલુ હતુ. ગામ આખાનો કચરો અહી એકઠો થતો હતો. અને તે પણ આજકાલનો નહી. છેલ્લા 30 વર્ષથી અહી શહેરભરનો કચરો ઠાલવવામા આવતો હતો. જેને પગલે અહી હજારો ટન કચરો એકઠો થઇ ગયો હતો. શહેરના રેઢીયાર પશુઓ અહી ધામા નાખતા હતા. અને ગંદકીના કારણે મોતને ભેટતા હતા. કચરાની સાથે મરેલા પશુઓની બદબુ આસપાસના વિસ્તારમા ફરી વળતી હતી. જેને પગલે લોકોને અહી ચાલવુ પણ મુશ્કેલ થઇ પડયુ હતુ. રાજુલા શહેરમા કોઇ પ્રવેશે તો સૌપ્રથમ આ બદબુ મારતી ગંદકી પાસેથી પસાર થવુ પડે. જો કે પાલિકાના કાર્યવાહક પ્રમુખ ભરતભાઇ સાવલીયા, કાળુભાઇ માલાણી, કનુભાઇ ધાખડા, પુનીતભાઇ કુંભાણી, મનસુખભાઇ કુંભાણી વિગેરેએ અહીથી કચરો દુર કરવાનુ અભિયાન 25 દિવસ પહેલા શરૂ કર્યુ હતુ. આર્થિક સહયોગ આપી તેમણે અહી 3 જેસીબી મુકયા હતા. દરરોજ 100થી વધુ ટ્રેકટરના ફેરાઓ દ્વારા અહીથી કચરો દુર ખસેડવાનુ કામ શરૂ કરાયુ હતુ. દિવસ રાત આ કામ ચાલ્યુ અને છેલ્લા 25 દિવસમા અહી ટ્રેકટરના ત્રણ હજારથી વધુ ફેરા કરી કચરાનો નિકાલ કરવામા આવ્યો છે જેના કારણે અહી ખુલ્લુ મેદાન બન્યું છે. નગરપાલિકા દ્વારા હવે ખુલ્લી થયેલી જગ્યામા આવનારા સમયમા એક સુંદર બગીચો બનાવવાનુ આયોજન કરાયુ છે. 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment