તલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ ભરવાડને ધારાસભ્ય પદેથી બરતરફ કરવાના નિર્ણયના વિરોધમાં ગુજરાત કાંગ્રેસ રસ્તા પર

રિપોર્ટર (રાજકોટ) :  ભરત ભરડવા
                                તલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ ભરવાડને ધારાસભ્ય પદેથી બરતરફ કરવાના નિર્ણયના વિરોધમાં ગુજરાત કાંગ્રેસ રસ્તા પર આવી રાજ્યના તમામ જિલ્લા મથકો પર કાંગ્રેસના કાર્યકરો દ્વારા દેખાવો કરવામં આવ્યા અને કલેક્ટરને આવેદન પત્ર સોપવામાં આવ્યુ.. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પણ કલેક્ટર કચેરી ખાતે સરકાર અને વિધાનસભાના અધ્યક્ષ સામે સુત્રોચાર કરવામાં આવ્યો હતો. ગુજરાત મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા સહિત રાજકોટ શહેર કાંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો પણ દેખાવોમાં હાજર રહ્યા હતા. ગાયત્રીબા એ જણાવ્યું હતું કે ગેર બંધારણીય રીતે ભગવાન ભાઇનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યુ છે તેમને કોર્ટના ચુકાદાની સામે ઉપલી કોર્ટમાં જવાદેવાનો પણ મોકો આપવામાં આવ્યો નથી ભુતકાળમાં ભાજપાના ધારાસભ્ય બાબુભઇ બોખીરીયા પુરૂષોત્તમ સોલંકી અને અમરેલીના સાંસદ સામે કોર્ટમાં કેસ સાબીત થયો ત્યારે તેમને સુપ્રીમ કોર્ટ સુધી જવાનો મોકો આપવામાં આવ્યો ત્યારે કોંગ્રેસ ધારાસભ્યને કેમ નહી..

બાઈટ :- ગાયત્રીબા વાઘેલા (ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ - પ્રમુખ)
બાઈટ ;- અશોક ડાંગર (શહેર કોંગ્રેસ પ્રમુખ, રાજકોટ)




Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment