રાહુલ ગાંધીએ ગુજરાતની ધરતીથી લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી

રિપોર્ટર (અમદાવાદ) : સુમિત પટેલ
                                લોકસભા 2019ની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ રવિવારે જાહેર થયો છે. આ સાથે તમામ રાજકીય પક્ષોની ગતિવિધિ તેજ થઈ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની સૌથી મહત્વની એવી CWCની બેઠક 58 વર્ષ પછી પહેલીવાર ગુજરાતમાં યોજાઈ રહી છે. આ બેઠક એક વ્યૂહરચનાના ભાગરુપે અહીંયા યોજવામાં આવી છે. કારણ કે આ બેઠક થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને સંદેશો આપવાનો ઉદ્દેશ્ય છે. CWC બેઠક બાદ હવે રાહુલ ગાંધી અડાલજ નજીક જન-સંકલ્પ રેલીને સંબોધિત કરશે. આ રેલી સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા 2019ની ચૂંટણી પ્રચારનો આરંભ કરશે. 


કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC)ની બેઠકમાં લોકસભા ચૂંટણીલક્ષી કેટલાક મુદ્દાઓની ચર્ચા થશે. તેમજ દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે પ્રસ્તાવ રજૂ થશે. આ બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી, ડો.મનમોહનસિંઘ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, નવનિયુક્ત મહામંત્રી પ્રિયંકા ગાંધી સહિત 50થી મહાનુભાવો ભાગ લઈ રહ્યાં છે. 




અહીંયા નોંધવું રહ્યું કે, 2004માં લોકસભા ચૂંટણી વખતે પ્રવાહી સ્થિતિ હતી, એવી જ સ્થિતિ 2019માં છે. આ સંજોગમાં કોંગ્રેસ ગુજરાતમાંથી વધુને વધુ બેઠક જીતવાનો પ્રયાસ કરશે. 2004માં ગુજરાતની 26 પૈકી 12 બેઠક અને 2009માં 11 બેઠક જીતવામાં કોંગ્રેસને સફળતા મળી હતી. આમ, આ 2019માં પણ કોંગ્રેસે 12થી વધુ બેઠક જીતવનો વ્યૂહ ઘડ્યો છે.


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment