રામ જન્મભૂમિ કેસ : મધ્યસ્થા માટે મુસ્લિમ પક્ષકાર તૈયાર : હિન્દુ મહાસભાનો વિરોધ : ફેંસલો અનામત

નવી દિલ્હી :
             રાજકીય રીતે સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં મધ્યસ્થતાની ગુંજાઇશ હજુ પણ બચી છે. સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ બંને પક્ષોની કનિદૈ લાકિઅ દલીલો સાંભળ્યા બાદ કેસના સ્થાયી સમાધાન માટે કોર્ટ દ્વારા નિમણૂક અને નજરમાં મધ્યસ્થતાને લઇ નિર્ણય સુરક્ષિત રાખી લીધો. ચીફ જસ્ટિસ રંજન કનિદૈ લાકિઅ ગોગોઇના નેતૃત્વવાળી અકિલા ૫ જજોની સંવૈધાનિક બેન્ચે ચોખ્ખું કહી દીધું કે અમે અયોધ્યા જમીન વિવાદ અને તેના પ્રભાવને ગંભીરતાથી સમજીએ છીએ અને કનિદૈ લાકિઅ આથી જ ટૂંક સમયમાં જ તેનો નિર્ણય સંભળાવા માંગીએ છીએ. બેન્ચે આગળ કહ્યું કે જો અકીલા પાર્ટીઓ મધ્યસ્થીઓના નામની ભલામણ કરવા માંગે છે તો તે આપી કનિદૈ લાકિઅ શકે છે. સુપ્રીમ કોર્ટમાં હિન્દુ સભા એ કિલયર સ્ટેન્ડ રાખ્યું કે મધ્યસ્થતા થઇ શકે નહીં. મહાસભા એ કહ્યું કે ભગવાન રામની જમીન છે. તેને (બીજા કનિદૈ લાકિઅ પક્ષને) તેનો હક નથી આથી તેને મધ્યસ્થતા માટે મોકલી શકાય નહીં. રામલલા વિરાજમાનનું પણ કહેવું હતું કે મધ્યસ્થતાથી કેસનો ઉકેલ નીકળી શકે નહીં. કનિદૈ લાકિઅ જો કે નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડે મધ્યસ્થતાનો પક્ષ લીધો. આની પહેલાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ભાવનાઓ અને વિશ્વાસનો ટકરાવ છે. કનિદૈ લાકિઅ દિલ અને દિમાગને વહેંચવાનો પ્રશ્ન છે. અમને ગંભીરતા ખબર છે અને અમે આગળ કેસને જોઇ રહ્યા છીએ. અત્યારે એ કહેવું યોગ્ય નથી કે પરિણામ કંઇ નહીં કનિદૈ લાકિઅ હોય. બુધવારના રોજ સુનવણી શરૂ થતાં જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે તે એ વાતનો નિર્ણય કરશે કે સમય બચાવા માટે કેસને કોર્ટની દેખરેખમાં મધ્યસ્થતા માટે મોકલી શકાય કે નહીં. જસ્ટિસ બોબડે કહ્યું કે પરસ્પર વાતચીતથી કેસનું સમાધાન નીકળવું જોઇએ. તેમણે કહ્યું કે આ માત્ર જમીનનો જ નથી, દિલ-દિમાગ અને ભાવનાઓ સાથે જોડાયેલો મુદ્દો છે. હિન્દુ મહાસભામાં પોતાનો પક્ષ મૂકતા મધ્યસ્થતાનો વિરોધ કર્યો. મહાસભા એ કહ્યું કે કોર્ટે જ નિર્ણય કરવો જોઇએ. જયારે હિન્દુ પક્ષો એ કહ્યું કે મધ્યસ્થતા નિરર્થક પ્રયાસ હશે કારણ કે હિન્દુ તેને એક ભાવનાત્મક અને ધાર્મિક મુદ્દા પર લે છે. તેમણે કહ્યું કે બાબર એ મંદિરને ધ્વસ્ત કર્યું હતું. તેના પર જસ્ટિસ એસ.એ.બોબડે એ કહ્યું કે અતીતમાં શું થયું, તેના પર અમારું નિયંત્રણ નથી. કોણે હુમલો કર્યો, કોણ રાજા હતું, મંદિર હતું કે મસ્જિદ હતી. અમે હાલના વિવાદ અંગે જાણીએ છીએ. અમને માત્ર વિવાદને ઉકેલવાની ચિંતા છે.મધ્યસ્થીને લઇ રિપોર્ટિંગ પર પ્રતિબંધ જરૂરી : કોર્ટ મધ્યસ્થી મુદ્દે સુપ્રીમનું વલણ નવીદિલ્હી, તા. ૬ : સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે, તેનું નક્કરપણે માનવું છે કે, જો મધ્યસ્થીની પ્રક્રિયા શરૂ થાય છે તો તેના ઘટનાક્રમ પર મિડિયા રિપોર્ટિંગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહે તે જરૂરી છે. કોર્ટે કહ્યું હતું કે, આ કોઇ ગેગઓર્ડર નથી બલ્કે સૂચન છે. સૂચન છે કે, રિપોર્ટિંગની પ્રક્રિયા આ વિષય પર ચાલવી જોઇએ નહીં. મુસ્લિમ પક્ષ તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે, સમગ્ર પ્રક્રિયા ખુબ જ ગુપ્તરીતે આગળ વધે તે ખુબ જરૂરી છે. મધ્યસ્થીનું રિપોર્ટિંગ થાય છે તો સુપ્રીમ કોર્ટ આને તિરસ્કાર તરીકે ગણી શકે છે.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment