અે.બી.વી.પી. વિરમગામ શાખા દ્વારા સ્વામી વિવેકાનંદજી ની ૧૫૬મીં જન્મજયંતી અને રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

રીપોર્ટર
મુન્ના વ્હોરા વિરમગામ
                                 અે.બી.વી.પી. વિરમગામ  શાખા દ્વારા સ્વામી વિવેકાનંદજી ની ૧૫૬મીં જન્મજયંતી અને રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી
અે.બી.વી.પી. વિરમગામ  શાખા દ્વારા સ્વામી વિવેકાનંદજી ની ૧૫૬મીં જન્મજયંતી અને રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદજી ના  જીવન વિષયક  પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ એવી એબીવીપીના અધ્યક્ષે પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું અને બાળકો દ્વારા સ્ટેજ ડાન્સ યોગા તથા સ્વામી વિવેકાનંદજી વિશેષ સરસ વક્તવ્ય આપ્યું હતું અને લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા ત્યારબાદ સ્વામી વિવેકાનંદજીના જીવન વિશેનું પ્રદર્શન નગરપાલિકા પ્રમુખ દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું આ પ્રદર્શનને નિહાળવા માટે દિવ્યજ્યોત ,ત્રિપદા ,સેતુ વિદ્યાલય ,સરસ્વતી ,શારદા નવયુગ જેવી સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદર્શનને નિહાળ્યું હતું

આ કાર્યક્રમમાં એબીવીપીના સાખા અધ્યક્ષ કાર્યક્રમ ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ તથા  એબીવીપીના કાર્યકરો નગરપાલિકા પ્રમુખ રીનાબેન દિલીપભાઇ ધાંધલ,કિરીટસિંહ ગોહેલ હિતેશભાઇ મુનસરા, નરેશભાઇ શાહ પુષ્કરભાઇ સાધુ,મોતિસિંહ વગેરે ભાજપના કાર્યકરો તથા બિરજુભાઇ ગુપ્તા અને તેજશભાઇ વજાણી ઉપસ્થિત રહ્યા હતા 


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment