બ્યુરોચીફ કચ્છ ધનસુખ ઠક્કર
દર વર્ષે ઉજવાતા પીર પળલશા પાગારા નો ઉર્ષ આ વર્ષે કેનસલ કરવામાં આવ્યો છે કોરોના ની મહામારી ના કારણે અને લોકડાઉન ના કારણે મેળો યોજવામાં નહીં આવે પીર પળલશા પાગારા દરગાહ શરીફ ના ગાદી પતી સૈયદ તાજમામદશા સુલતાનશા બાપુ, અમીરશા બાપુ ડેલીવારા, અલાઉદીન બાપુ ડેલીવારા, અબ્દુલાશા બાપુ ડેલીવારા, ગુલામ હુસેન બાપુ માલીયા વારા પીર પળલશા પાગારા ના વન્સજોએ એમના પરીવાર ની મીટીંગ બોલાવી હતી અને આ મીંટીગ મા એ ફાઇનલ કરવામાં આવ્યું હતું કે આ વર્ષે કોરોના મહામારી ને જોતા ઉર્ષ મનાવવામાં નહી આવે આપણે સરકાર ને પુરે પુરો સાથ સહકાર આપવો જોઈએ તે આપણી નૈતિક જવાબદારી છે કોરોના ની સંક્રમણ ના વધે અને આ બીમારી આપણા દેશમાંથી નાબુદ થાય તેના માટે પણ દુઆઓ કરાઇ હતી. અને સમગ્ર રાજ્યમાં થી આવતા હીંદુ અને મુસ્લિમ ભાઈઓ પીર પળલશા પાગારા ના માનવાવાળા ચાહકો ને જણાવવામાં આવે છે કે ભાદરવા ની ચૌથ અને પાંચમ તારીખ ૨૨, ૨૩ ના રોજ જે ઉર્ષ યોજાવાનો હતો તે આ વર્ષે કોરોના ના હિસાબે રદ કેનસલ કરવામા આવ્યો છે જે નોધ સર્વ હીંદુ મુસ્લિમ શ્રધ્ધાળુ ભાઇઓ એ લેવી.
તેવું સૈયદ લતીફશા હાજી અલીઅકબરશા નાની ચીરઇ વારા બાપુએ એમની યાદી મા જણાવેલ
0 Comments:
Post a Comment