રામ મંદિર પર બોલ્યા ભૈયાજી જોશી, ‘ભીખ નથી માંગી રહ્યા, કાયદો બનાવે સરકાર

રામ મંદિર મુદ્દે અમરાઈવાડીમાં VHPની વિશાળ રેલી
રવિવારે અયોધ્યામાં નિર્માણની માંગણીને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના હજારો કાર્યકર્તાઓ દિલ્હીના રામ મંદિરમાં એકઠા થયા. આ રેલીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરકાર્યવાહક સુરેશ ભૈયાજી જોશી એક રીતે મોદી સરકારને અલ્ટિમેટમ આપતા કહ્યું કે, રામ મંદિરની ભીખ નથી માંગવામાં આવી રહી, સરકારે કાયદો બનાવવો જોઈએ. આ રેલીને અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પણ સમર્થન મળ્યું અને હજારો સંખ્યામાં કાર્યકર્તાઓએ રેલી કાઢી. ઉલ્લેખનીય છે કે, VHP દ્વારા સંસદના શિયાળુ સત્ર પહેલા મોદી સરકાર પર રામ મંદિર બનાવવાનો ઠરાવ પાસ કરવાનું દબાણ બનાવાઈ રહ્યું છે.
આ રેલીમાં VHPના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના સાંસદ ડૉ. કીરિટ સોલંકીને સ્ટેજ પર બોલાવી એક મેમોરેન્ડમ આપીને રામ મંદિરના નિર્માણની માંગણીને પાર્લામેન્ટમાં રજૂ કરવાની માગણી કરવામાં આવી હતી.
કોર્ટ કરે લોકોની લાગણીનું સન્માન : ભૈયાજી જોશી
જણાવી દઈએ કે, રવિવારે રામલીલા મેદાન ખાતે પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં અને અહીં VHPની રેલીમાં સંઘના નેતા ભૈયાજી જોશીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠા જળવાઈ રહેવી જોઈએ અને તેણે દેશના લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, અગાઉ કોર્ટે અયોધ્યા વિવાદ પર સુનવણીને જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી હતી. ભૈયાજીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, સત્તા પર બેઠેલા લોકોએ રામ મંદિર બનાવવાના સંકલ્પને કોઈપણ પ્રકારના ખચકાટ વિના પૂરો કરવો જોઈએ.
દેશ પર હુમલો કરનારાના નિશાન મિટવા જોઈએ
રેલીને સંબોધિત કરતા ભૈયાજી જોશી એ કહ્યું કે, અમારો કોઈની સાથે સંઘર્ષ નથી, ભલે તે કોઈપણ પૂજા-પદ્ધતિમાં માનનારો હોય. તેમણે કહ્યું કે, ‘જો સંઘર્ષ જ કરવો હોત તો અમે આટલો સમય સુધી રાહ ન જોતા, આને સંપ્રદાયની દૃષ્ટિથી ન જુઓ, મંદિરનું નિર્માણ ભવિષ્યમાં રામરાજ્યનો પાયો બનશે.’ સંઘ નેતાએ કહ્યું કે, દેશ પર હુમલો કરનારાઓના નિશાન ભૂંસાવા જોઈએ.
મંદિર નિર્માણ માટે VHP કરશે મોટું સંપર્ક અભિયાન
સંગઠને મંદિર નિર્માણના પોતાના પૂર્વ ચરણના તબક્કામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રાજ્યના રાજ્યપાલો સાથે મુલાકાત કરી હતી. આવનારા તબક્કામાં તેઓ મંદિરો અને મંઠોમાં ધાર્મિક અનુષ્ઠાન અને પ્રાર્થના કરશે. આ અભિયાન પ્રયાગમાં સાધુ-સંતોની ‘ધર્મ-સંસદ’ સાથે સંપન્ન થશે. છેલ્લી ધર્મ સંસદ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ આયોજિત થશે. જણાવી દઈએ કે, સંસદનું શિયાળુ સત્ર મંગળવારથી શરૂ થઈ રહ્યું છે


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment